સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

વાંકાનેરની સરતાનપર પ્રાથમિક શાળામાં ત્રણ દિવસની 'બાળ ચેતના શિબીર' યોજાઇ

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની પ્રાથમિક શાળામાં ત્રણ દિવસની બાલ ચેતના યોગ શિબિર યોજાઇ હતી. ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. બાલ ચેતના શિબિરથી વિદ્યાર્થીઓમાં નવચેતના સાથે મનની આંતરીક શકિતથી પરિચીત બને સાથે સ્વસ્થ્ય - શાંત નિરોગી અને આનંદી  બને તેવા હેતુસર યોજાતી આવી શિબીરમાં આર્ટ ઓફ લીવીંગના ટ્રેનર યોગેશભાઇ હિરાણી તથા દર્શનાબેન જોષી સાથે યોગાસન - પ્રાણાયમ  અને ધ્યાનની મુદ્રાઓની તાલીમ આપી હતી.

(11:24 am IST)