સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

માણાવદરના કોઠારીયામાં આત્મવિલોપન કરનાર દલિત જગદીશ રાઠોડનું સારવાર દરમિયાન મોત

પોલીસને જુગારધામની બાતમી આપ્યાની શંકાથી આરોપીએ ધાકધમકી આપતા આત્મવિલોપન કર્યું હતું : જગદીશે પાંચ લોકોના નામ આપેલ છે

જૂનાગઢ જિલ્લાના  માણાવદરના કોઠારિયા ગામે આત્મવિલોપન કરનાર દલિત શખ્સનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે.ગામમાં થોડા દિવસ પહેલા જુગાર ધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં પાંચ જુગારી પકડાયા હતા. આ જુગારીઓએ જગદીશ રાઠોડ નામના દલિત પર શંકા રાખી હતી. જુગાર રમતા પકડાયેલા આરોપીઓએ બે દિવસ પહેલા જગદીશ રાઠોડને માર્યા હતા. આ આરોપીઓએ જગદીશ રાઠોડને ધાક ધમકીઓ આપતા તેમણે આત્મવિલોપન કર્યુ હતુ. ગંભીર હાલમાં જગદીશ રાઠોડને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા જ્યાં તેમનું મોત નિપજ્યુ હતુ. પોલીસ નિવેદનમાં જગદીશ રાઠોડે પાંચ જણાના નામ જણાવ્યા હતા.

(12:07 am IST)