સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th May 2022

પ્રખ્યાત ચામુંડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું :કાળઝાળ ગરમી વચ્ચે પણ માઈભક્તો દર્શનાર્થે પહોંચ્યા

અમુક અંતર પર ઠંડા પાણી સાથે આરામની પણ સુવિધા : યાત્રિકોને તાપ સામે રક્ષણ આપવા શેડ બનાવી અને જાજમ લગાવીને સગવડ

ચોટીલા :  પ્રખ્યાત ચામુંડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ દુર-દુરથી માઈભક્તો ચામુંડા માતાજીના દર્શનાર્થે આવી પહોંચ્યા છે. હાલ ઉનાળું વેકેશન છેલ્લા તબક્કામાં છે ત્યારે રજાના છેલ્લા દિવસોની મજા માણવા લોકો સહપરિવાર ચોટીલા દર્શનાર્થે આવે છે. હાલ ડુંગર પર ચઢતા યાત્રિકોને તાપ સામે રક્ષણ આપવા શેડ બનાવી અને જાજમ લગાવીને સગવડ પુરી પાડવામાં આવી રહી છે. અમુક અંતર પર ઠંડા પાણી સાથે આરામની પણ સુવિધા આપવામાં આવી રહી છે. વેકેશનની રજાઓ સાથે રવિવારનો દિવસ હોવાથી હજારોની સંખ્યામાં લોકો ચોટીલા આવી પહોંચ્યા છે.

(10:51 pm IST)