સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

કચ્છમાં આજે વધુ ૪ દર્દીઓ : સામખીયાળીના પરિવારને કોરોના વળગ્યો

(ભુજ) આજે કચ્છના સામખીયાળી ગામના એક જ પરિવારના ૪ સભ્યોને કોરોના પોઝિટિવ વળગ્યો છે. તો, પાંચ દિવસ પહેલા દાખલ થયેલા એક દર્દીને વેન્ટિલેટર પર રખાયા છે. માંડવીના કોડાયના મદનપુરાના દર્દીને વેન્ટિલેટર પર રખાયા છે.

ડીડીઓ પ્રભવ જોશીની યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે સામખીયાળીના એક મુસ્લિમ ખત્રી પરિવારમાં બે નાની બાળકીઓ સહિત માતા, પિતા એમ ચાર સભ્યોને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થયું છે. તે ઉપરાંત કોડાયના મદનપુરા ગામના જેન્તીલાલ પટેલ વેન્ટિલેટર પર મુકાયા છે. કચ્છમાં હવે વધુ એક ગામ સામખીયાળીમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આથી અગાઉ બુઢારમોરા, દરસડી અને હવે  સામખિયાળીમાં એક સાથે દર્દીઓ વધ્યા છે.

(7:36 pm IST)