વંથલીના ડબલ મર્ડરમાં મૃતક યુવતીનો ભાઇ રાજુ સહિત બે શખ્સો શંકાના દાયરામાં
નજર સામે ભાઇ-ભાભીની હત્યાથી બહેન હતપ્રભ
જુનાગઢ તા.ર૯ : વંથલી પાસ ેદંપતીની થયેલ હત્યામાં મૃતક યુવિતનો ભાઇ રાજુ અને મામાનો દિકરો અમિત શંકાના દાયરામાં આવેલ છે. બંનેને પકડી પાડવા માટે પોલીસે આકાશપાતાળ એક કર્યા છે.
માંગરોળના દરસાલી ગામના સંજય રામજીભાઇ રામ આહિર અને તેની પત્ની ધારા તેમજ સંજયના બહેન વનીતાબેન નંદાણીયા (આહિર) બુધવારની સાંજે ત્રિપલ સવારી બાઇકમાં જુનાગઢ આવતા હતા.
ત્યારે વંથલી પાસે મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો કુહાડીના ઘા ઝીંકી સંજય અને ધારાની હત્યા કરીને નાશી ગયા હતા.
મૃતક દંપતીએ ચારેક માસ અગાઉ પ્રેમ લગ્ન કરેલ પરંતુ યુવતિના પરિવારજનોન ેઆ પ્રેમલગ્ન પસંદ ન હતા.
જુનાગઢ રહેતા સંજયભાઇ બહેન વનીતાબેનની નજર સમક્ષ ભાઇ ભાભીની હત્યા થતા તેઓ હતપ્રભ થઇ થઇ ગયા હતા.
પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતક ધારાનો ભાઇ રાજુ પરમાર અને મામાનો દિકરો અમિતની ડબલ મર્ડરમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હોવાનું જાણવા મળેલ છે
વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ પ્રેમ લગ્ન બાદ બેનને બનેવી સાથે ફરતી જોઇને રાજુએ બંનેને બતાવી દીધા હોવાની ચર્ચા છે.
દરમ્યાનમાં એસપી સૌરભસિંહ સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, દંપતીની હત્યામાં પ્રાથમીક તપાસમાં મૃતક યુવતિનો ભાઇ રાજુ અને મામાનો દિકરો અમિત શંકાના દાયરામા છે. પરંતુ તેમની ધરપકડ થયેથી જ બંનેને આરોપી ગણી શકાય.
એસપી સૌરભસિંઘે વધુમાં જણાવેલ કે હત્યારા શખ્સોને ઝડપી લેવા એલસીબી, એસ.ઓજી, સ્થાનિક પોલીસ તેમજ ડીવાયએસપી ગઢવી વગેરે તપાસ કરી રહ્યા છે. સીસીટીવી કુટેજમાં આ શખ્સો અમુક જગ્યાએ દેખાયા બાદ અન્યત્ર ટેસ થયા નથી આમ છતા નજીકના સમયમાં બંને શખ્સોને ઝડપી લેવાશે તેમ તેઓએ જણાવ્યું હતું.(