સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

ધોરાજી-૬, જેતપુર-ર૦, જામકંડોરણા-૧૩, ઉપલેટામાંથી ૧ સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા

ધોરાજી, તા. ર૯ : કોરોના સેન્ટર ખાતે લેવાયેલા  સેમ્પલમાં ધોરાજીના ૬, જેતપુરના ર૦, જામકંડોરણા ૧૩, અને ઉપલેટાના ૧ સેમ્પલ લેવાયા હતાં અને આ તમામ રીપોર્ટ બપોરે ૪ કલાકે આવશે.

તેમજ ધોરાજીના નડીયા કોલોની ખાતે આવેલ પોઝીટીવ વ્યકિતના સંપર્કમાં આવેલ તમામ ર૯ વ્યકિતઓ કોરોના રીપોર્ટ નેગેટીવ આવેલ છે અને તમામને ફેસેલીટી કોરેન્ટાઇનમાંથી આજે રજા અપાશે. જેમાં પોલીસ જીઆરડી જવાનો અને બહારપુરા વિસ્તારનો લોકોનો રીપોર્ટ નેગેટીવ આવતા આજે રાજકોટથી રજા અપાશે.

(11:45 am IST)