સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th May 2020

રાપરની કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાના મોતનું કારણ બાળકની કસુવાવડ

(ભુજ) કચ્છમાં કોરોનાના વધતા જતા દર્દીઓ અને મોતની સંખ્યા વચ્ચે રાપરની કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાના મોતનો રિપોર્ટ જાહેર થયો છે. નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટ અનુસાર રાપરના આ ૩૦ વર્ષીય મહિલા ખતીજાબેન ખત્રીનું મોત કોરાનાથી નહીં પણ ગર્ભમાં બાળકનું મોત થતા કસુવાવડને કારણે થયું હતું. આમ કચ્છમાં કોરોનાના ત્રીજા દર્દીના મોતનું કારણ અન્ય તબીબી કારણ હોવાનું જાહેર કરાયું છે.

(11:39 am IST)