મોરબીમાં સુરત મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાસુમન
મોરબીઃ સુરતમાં સર્જાયેલી દુર્ઘટનામાં નિર્દોષ બાળકો મોતના મુખમાં હોમાઈ ગયાની ઘટનાથી સમગ્ર ગુજરાત સ્તબ્ધ છે અને આવી દુર્ઘટના અન્ય કોઈ સ્થળેના સર્જાય તેવા હેતુથી તંત્ર પણ દોડધામ કરી રહ્યું છે ત્યારે મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સરદાર બાગ નજીક સુરતની દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળકોને શ્રદ્ઘાસુમન અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો . આ તકે રાષ્ટ્રીય સ્વયં સેવક, રાજપૂત કરણી સેના સહિતના સંગઠનોના કાર્યકરો જોડાયા હતા આ તકે એબીવીપીએ તંત્રને તાકીદ કરી હતી કે મોરબી જીલ્લામાં આવી કોઈ ઘટના બને તો દોષિતોને છોડવામાં નહિ આવે તેમજ દરેક શાળા-કોલેજ અને કલાસીસ સંચાલક આવી દુર્ઘટનાના સર્જાય તેની તકેદારી રાખે તેવી અપીલ પણ કરી હતી મોરબી ટ્યુશન કલાસ એસોસીએશન દ્વારા સાંજે સુરતની ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ઘાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોચિંગ કલાસ સાથે સંકળાયેલ સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા તે તસ્વીર