સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th May 2019

સાયલાના ધાંધલપુર ગામમાં ચાલતાં-ચાલતાં પડી જતાં ભુરાભાઇનું મોત

મુળ વડોદરાના આદિવાસી યુવાને રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૯: સાયલાના ધાંધલપુર ગામે રણછોડભાઇ શામળાભાઇ કરમટાની વાડીએ રહી ખેત મજૂરી કરતાં ભુરાભાઇ આદિવાસી (ઉ.૪૦) ગઇકાલે બપોરે વાડીએ ચાલતાં-ચાલતાં ચક્કર આવતાં પડી જતાં માથા-કાન પાસે ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચકોીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક સાથે કામ કરતાં બીજા મજુરો ભુરાભાઇના પિતાનું નામ જાણતા નથી. મૃતક મુળ વડોદરા તરફના વતની હતાં. પત્નિ પણ તેને છોડીને જતી રહી છે.  પોલીસે લાશનું પોસ્ટ મોર્ટમ કરાવી વિશેષ કાર્યવાહી કરી હતી.

(11:46 am IST)