સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th May 2018

બાલવા ખાતે યોજાયું ગોસ્વામી સમાજનું રાષ્ટ્રીય મહિલા સંમેલન

જામજોધપુર, તા.૨૯: તાલુકાના બાલવા ગામથી સમગ્ર ગોસ્વામી સમાજનું એક માત્ર વૈવિધ્યસભર માસિક અતિત અસ્મિતા મેગેઝીન તથા અખિલ ભારત ગોસ્વામી મહાસભા દિલ્હી આયોજીત રાષ્ટ્રીય મહિલા અધિવેશન બે દિવસ અખિલ ભારતીય ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું. મહિલા ઉત્કર્ષ વિકાસ અને અભિયાસ અને કુરિવાજોને તિલાંજલી આપવા, ડોકટર, વકીલ એન્જીનીયર અને વિવિધ ક્ષેત્ર આગવુ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્ઞાતિ સેવામાં અગ્રીમ ફાળો આપનાર વડીલોને વડીલ વંદના કાર્યક્રમ અન્વયે સન્માનિત કરવામાં આવ્યા હતા.

બાલવા જેવા નાના ગામમાં ૧૯૯૭થી સેવાની જલની જયોત જલાવનાર વસંતગિરિ ગોસ્વામી તથા દિનેશગિરિ ગોસ્વામીએ સમાજને અનેકવિધ સમાજ ઉપયોગી કાર્યો કરી બાલવા ગામને દેશ-વિદેશોમાં નામના અપાવી છે. આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર ૧૦૦૮ સ્વામી શ્રી સહજાનંદગિરિજી, દિલ્હી સ્વામી સચ્ચિદાનંદગિરિજીને જ્ઞાતિ રત્ન એવોર્ડ એનાયત કર્યા હતા. મુંબઇથી દયાનંદગિરિજી, ચંદાગોસ્વામી, રાજેશગિરિ ગોસ્વામી, કચ્છથી રમણિકગિરિજી તેમજ તેમની ટીમ, રાજકોટથી દિવ્યાંગપુરી, જીગ્નેશગિરિ, એકતાબેન ગોસ્વામી, તૃપ્તિબેન ગોસ્વામી, કેશોદથી જ્ઞાતિ અગ્રણી રણછોડપુરીજી ગોસ્વામી, રાજેશપુરી ગોસ્વામી જામનગરથી દિવ્યેશગિરિ, જામજોધપુરથી શૈલેષગિરિજી, અનિલગિરિજી, રમેશગિરિજી, વડોદરાથી પ્રિતિરાજગોસ્વામી, રાકેશગિરિ ગોસ્વામી, સુરતથી કૈલાસગિરિજી તથા તેમની ટીમ રાજસ્થાનથી શોભનાબેન ગોસ્વામી, એડવોકેટ રિંન્કીગોસ્વામી, સુરતથી એડવોકેટ હિતેનપુરી ગોસ્વામી, ગાંધીનગરથી પ્રભાતપુરીજી, હર્ષદથી રમાબેન ગોસ્વામી, અમદાવાદથી જશોદાબેન ગોસ્વામી, અરવિંદગિરિ ગોસ્વામી, ઉપલેટાથી વિજયગિરિ ગોસ્વામી તેમજ વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અતિત-અસ્મિતાના તંત્રીશ્રી વસંતગિરિજી, દિનેશગિરિ ગોસ્વામી, તેમજ ટીમે જહેમત ઉઠાવી હતી.

(12:43 pm IST)