News of Tuesday, 29th May 2018
દેવભૂમિ દ્વારકામાં ઓળખકાર્ડ આપવાની કામગીરી બંધ રહેશે
દેવભૂમિ દ્વારકા તા.૨૯: મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના પત્રથી સુચના મુજબ ટેકનીકલ કારણોસર તા. ૦૧/૦૬/૨૦૧૮ સુધી તમામ મતદાર સહાયતા કેન્દ્રો ખાતેથી મતદારોને પીવીસી ઓળખકાર્ડ આપવાની કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયેલ છે.
જેથી તા. ૦૧/૦૬/૨૦૧૮ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓએ હાલમાં કાર્યરત ''મતદાર સહાયતા કેન્દ્રો'' કામગીરી બંધ રહેશે, જેની નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા જણાવવામાં આવેલ છે.
(11:56 am IST)