સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

ખંભાળીયામાં કોરોનાના દર્દીઓ અને તેના પરિજનો માટે સવાર અને સાંજ એમ બન્ને ટાઈમ ફ્રી ફૂડ સર્વિસ

કોઈપણ સમાજ ના હોઈ તેના માટે ફ્રી ફૂડ સર્વિસ નો લાભ લેવા અપીલ કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા શહેર માં કોરોના ની મહામારી ને ધ્યાને લઇ ચાર લોકો એ સાથે મળી ફ્રી ફૂડ સર્વિસ શરૂ કરાઇ , ખંભાળીયા શહેર માં કોરોના ના દર્દીઓ અને તેના પરિજનો માટે સવાર અને સાંજ એમ બન્ને ટાઈમ ફ્રી ફૂડ સર્વિસ તમામ સમાજ માં લોકો માટે શરૂ કરવામાં આવી...


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કોરોના ના દર્દીઓ ની સંખ્યામાં વધારો થયો છે અને કોરોના પોઝીટીવ લોકો હોસ્પિટલમાં અને હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે સાથે જ ખંભાળીયામાં આવેલ જનરલ હોસ્પિટલમાં તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ કોરોના થી પોઝીટીવ આવેલ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે અને હાલ જિલ્લામાં મોટાભાગના લોકો ખંભાળીયા ખાતે જ તેના પરિજનો ની સારવાર માટે પહોચી રહ્યા છે તેવામાં ખંભાળીયા ના જ ચાર લોકો એકઠા થઇ એક ગ્રૂપ બનાવી કોરોના ના દર્દીઓ અને તેના પરિજનો ને માટે નિઃશુલ્ક ફ્રી ફૂડ સર્વિસ શરૂ કરવામાં આવી છે જેમાં તમામ પ્રકાર નું પૌષ્ટીક ભોજન અને ફ્રૂટ સાથે અપાઈ રહ્યું છે છેલ્લા એક વિક થી વધુ સમય થયો આ સેવા કરી શરૂ થયું છે જેમાં હાલ દરરોજ ના 50 જેટલા લોકો આ સેવાઓનો લાભ લઇ રહ્યા છે સાથે જ ગ્રૂપ ના મેમ્બર દ્વારા કોઈપણ વ્યક્તિ કે જે હોમ આઇસોલેશન હેઠળ અથવા તો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય અને તેના પરિજનો કે જે હાલ ખંભાળીયા માં બહાર થી આવેલ દર્દીઓ અને તેના પરિજનો જેઓ કોઈપણ સમાજ ના હોઈ તેના માટે ફ્રી ફૂડ સર્વિસ નો લાભ લેવા અપીલ કરાઈ છે સાથે જ હાલ ચાર લોકો છે ત્યારે જે કોઈ વ્યક્તિઓ આ સેવા માં સહયોગ આપવા ઇચ્છા ધરાવતા હોય તેઓ પણ સાથ સહકાર આપે જેથી વધુ સુવ્યવસ્થિત અયોજ કરી ટિફિન લોકો સુધી પહોંચાડી શકાય તેવી અપીલ પણ કરવામાં આવી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા માં આ ગ્રૂપ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે અને આ કોરોના ની મહામારી વચ્ચે પણ લોકો સુધી સેવા પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી સાથે જ હજુ વધુ ને વધુ લોકો આ સેવા નો લાભ લે તે માટે અપીલ પણ કરાઈ છે જેથી કોરોના ના દર્દીઓ અને તેના પરિજનો ને આ મુશ્કેલ સમય માં પણ એક ઉત્તમ સગવડ મળી રહે તે હેતુ થી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે

(6:50 pm IST)