સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

મોરબી જિલ્લામાં નવા ૭૪ કેસ : ૭ મોત

કોવીડ પ્રોટોકોલ મુજબ ૮ મૃતદેહના અંતિમ સંસ્કાર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૯ : મોરબી જીલ્લામાં કોરોના કહેર વધી રહ્યો છે. કોરોનાના નવા ૭૪ કેસ નોંધાયા છે જયારે ૫૧ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે ૦૭ દર્દીના મૃત્યુ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૩૫ કેસોમાં ૨૦ ગ્રામ્ય અને ૧૫ શહેરી વિસ્તારમાં નોંધાયા છે અને મોરબી તાલુકામાં ૦૬ દર્દીના મૃત્યુ થયા છે વાંકાનેર તાલુકામાં ૦૫ કેસો જેમાં ૦૨ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૭ કેસોમાં ૧૦ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં તેમજ ટંકારા તાલુકાના ૧૩ કેસો ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે ટંકારા તાલુકામાં ૦૧ દર્દીનું મોત થયું છે માળિયા તાલુકાના ૦૪ કેસો ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે. મોરબી જીલ્લામાં નવા ૭૪ કેસ નોંધાયા છે જયારે ૫૧ દર્દીઓ સ્વસ્થ થયા છે તો ૦૭ દર્દીના મૃત્યુ થયા હતા.

નવા કેસો સાથે જીલ્લામાં એકટીવ કેસનો આંક ૭૦૬ થયો છે. કોવીડ પ્રોટોકોલ મુજબ ૦૮ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

(12:51 pm IST)