સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

ભાવનગરમાં ૩૮૫ કેસ : ૨૩૫ દર્દીઓ કોરોનામુકત

જિલ્લામાં નોંધાયેલ કુલ ૧૨,૨૫૭ પૈકી ૩,૦૯૨ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર,તા.૨૯ : જિલ્લામા વધુ ૩૮૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૨,૨૫૭ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૪૧ પુરૂષ અને ૧૦૯ સ્ત્રી મળી કુલ ૨૫૦ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૪૮, દ્યોદ્યા તાલુકામાં ૧૦, તળાજા તાલુકામાં ૧૦, મહુવા તાલુકામાં ૫, વલ્લભીપુર તાલુકામાં ૧, ઉમરાળા તાલુકામાં ૩, પાલીતાણા તાલુકામાં ૧૪, સિહોર તાલુકામાં ૭, ગારીયાધાર તાલુકામાં ૩૫ તેમજ જેસર તાલુકામાં ૨ કેસ મળી કુલ ૧૩૫ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે મહાનગરપાલિકા વિસ્તારમા ૧૧૦ અને તાલુકાઓમાં ૧૨૫ કેસ મળી કુલ ૨૩૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૧૨,૨૫૭ કેસ પૈકી હાલ ૩,૦૯૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૧૨૫ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:03 am IST)