સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

અમરેલીમાં કોરોના દર્દીઓ માટે ચાલતી ટીફીન સેવાની વહારે સાવરકુંડલાના વતની મનુભાઇ જીયાણી ૨૦૦ મણ ઘઉંનું દાન : પી.પી.સોજીત્રા

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી, તા.૨૯: સુખનાથ ચોક પટેલવાડી ખાતે કોરોનાનાં દર્દીઓ માટે શહેરની તમામ હોસ્પીટલો તેમજ જે લોકો ઘરે કોરોનાની સારવાર લઈ રહયા હોય તેવા દર્દીઓ માટે રોજનાં ૯૦૦ થી ૧૦૦૦ જેટલા ટીફીનની સેવા સુખનાથ ચોક પટેલવાડી ખાતે સોજીત્રા પરિવાર દ્વારા ચાલી રહેલ હોય આ સેવા યજ્ઞમાં સાવરકુંડલાનાં વતની અને આફ્રિકાનાં ઉધોગપતિ મનુભાઈ જીયાણી દ્વારા ર૦૦ મણ ઘઉંનું દાન આપવામાં આવેલ છે.

આ ઉપરાંત (૧) રૂ.૧૦,૦૦૦/– જીતુભાઈ જોષી નેશનલ ઈન્સ્યોરન્સ (ર) રૂ.૧૧,૦૦૦/– બિમલભાઈ સાવલીયા (૩) રૂ.૧પ,૦૦૦/–  પારસ પ્લાયવુડ ત્રિકમભાઈ પોકાર, (૪) રૂ.પ૦૦૦/– ચંદન પ્લાયવુડ દેવજીભાઈ પોકાર (પ) રૂ.પ૦૦૦/– ભવનેશભાઈ પરીખ (૬) રૂ. રપ૦૦/– અમરશીભાઈ કાનાણી (૭) રૂ.૩૦૦૦/– નનુભાઈ કાનજીભાઈ ભંડેરી (૮) રૂ.પ૧૦૦/– બાબુભાઈ કિકાણી– અમુલ ઓઈલ મીલ (૯) રૂ.રપ૦૦/– રામભરોસે (૧૦) રૂ.૩૦૦૦/– ડો.રામાણીસાહેબ (૧૧) રૂ.૧૦૦૦/– પિયુષભાઈ કાછડીયા (૧ર) રૂ.૧૦૦૦/– ધનસુખભાઈ (૧૩) રૂ. ર૦૦૦/– અતુલભાઈ પાનસુખરીયા (૧૪) લલીતભાઈ ઠુંમર તરફથી ર૦૦ એમ.એલ.ની પ૦૦૦ પાણીની બોટલ તેમજ પી.એમ. આંગડીયાવાળા સુકેતુભાઈ ભુતા તરફથી ૧૦,૦૦૦ પાણીની બોટલ આ સેવાયજ્ઞમાં આપેલ છે.

આ સેવાયજ્ઞમાં વિશ્વ હિન્દુ પરિષદનાં ભરતભાઈ કાનાણી, યોગેશભાઈ ગણાત્રા, ઘનશ્યામભાઈ રૈયાણી તેમજ બિપીનભાઈ કાબરીયા, મોન્ટુ ગુંદરણીયા, રાજુભાઈ (લારા) ઝાલાવાડીયા, બી.એમ. ચોક યુવક મંડળ, સુખનાથ ચોક યુવક મંડળનાં તમામ કાર્યકર્તાઓનાં અથાગ પરિશ્રમથી આ સેવાયજ્ઞ ચાલી રહેલ છે. તેમ પી.પી.સોજીત્રાએ જણાવ્યું છે.

(10:23 am IST)