News of Thursday, 29th April 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 7 લોકોના મોત :નવા 237 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 180 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 110 કેસ ,જૂનાગઢ તાલુકામાં 14 કેસ, કેશોદ અને માણાવદરમાં 20-20 કેસ, માંગરોળમાં 17 કેસ,ભેસાણ અને મેંદરડામાં 15-15 કેસ, વંથલીમાં 11 કેસ, વિસાવદરમાં 10 કેસ, અને માળીયામાં 5 કેસ નોંધાયા
જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે વધુ 7 લોકોના મોત થયા છે આજે કોરોનાના નવા 237 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 180 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 237 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 110 કેસ ,જૂનાગઢ તાલુકામાં 14 કેસ, કેશોદ અને માણાવદરમાં 20-20 કેસ, માંગરોળમાં 17 કેસ,ભેસાણ અને મેંદરડામાં 15-15 કેસ, વંથલીમાં 11 કેસ, વિસાવદરમાં 10 કેસ, અને માળીયામાં 5 કેસ નોંધાયા છે
(10:43 pm IST)