સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

આમરણમાં હાટકેશ્વર મહાદેવ મંદિર ઉપર વીજળી પડી: 300 વર્ષ જુના આમલીના ઝાડમાંથી ધુમાડા નીકળ્યા : વાયરિંગ બળીને ખાખ

મોરબી : મોરબી જિલ્લામાં આજે સાંજે વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ બાદ આમરણમાં હાટકેશ્વર મહાદેવ મંદિર ઉપર વીજળી પડવાની ઘટના બની હતી અને વીજળી પડવાથી મંદિરના સીસીટીવી અને વાયરિંગ બળીને ખાખ થઈ જવા પામ્યા હતા.
આમરણ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઇ ભાલોડિયાના જણાવ્યા મુજબ આજે સાંજે વાતાવરણમાં આવેલા પલટા બાદ ગાજવીજ સાથે મેઘાન્ડમ્બર છવાયું હતું અને આમરણના પૌરાણિક હાટકેશ્વર મંદિર ઉપર વીજળી પડી હતી.
વધુમાં વીજળી પડવાને કારણે મંદિરના પ્રાંગણમાં આવેલ 300 વર્ષ જુના આમલીના વૃક્ષમાંથી ધુમાડા નિકળા હતા અને વૃક્ષ ધ્રુજી ઉઠ્યું હતું એ ઉપરાંત મંદિરના સીસીટીવી કેમેરા અને વાયરિંગ વીજળી પડવાને કારણે બળીને ખાખ થઈ જવા પામ્યા હતા.

(10:08 pm IST)