ગોંડલમાં મારામારીના બે બનાવ
રાજકોટ, તા. ૨૮ :. ગોંડલમાં મારામારીના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
પ્રથમ બનાવમાં ગોંડલ પુનિતનગર શેરી નં. ૭ મા રહેતા ગોવિંદ રવજીભાઈ ગોંડલીયા ઉપર ઉમવાળા રોડ પાસે વાલાભાઈ, લલુભાઈ, મેહુલભાઈ, રેખાબેન તથા અન્ય એક શખ્સે ગેરકાયદેસર મંડળી રચી ગોવિંદભાઈ તથા તેના સાથેના સાહેદને માર માર્યો હતો. સાહેદને નાકમાં કડુ લાગતા ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત ફરીયાદી તથા સાહેદ પોતાના ખેતરમાં જાજરૂ કરવા ન આવે તે માટે આરોપીને સમજાવવા જતા પાંચેયે હુમલો કર્યો હતો.
બીજા બનાવમાં ગોંડલ ભગવતપરામાં રહેતા કાનજી ઉર્ફે બીપીન દિનેશભાઈ ભોજાણી ઉંમર વર્ષ ૧૯ને ભગવતપરામાં જ રહેતા કાર્તિક કીરીટભાઈ મકવાણા, ઋત્વિક, જીજ્ઞેશ, ચેતન અને યતીશ સહિતનાઓએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૨૦૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ જમાદાર વિશાલભાઈ ગઢાદરાએ હાથ ધરી હતી.