સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

ભાવનગરમાં કોરોનાથી પાંચ દર્દીઓના મોત નિપજ્યા: ૨૩૦ નવા પોઝીટીવ કેસ નોંધાયા

ભાવનગરમાં એક્ટીવ કેસની સંખ્યા ઘટીને ૧૯૨૯ થઈ ગઈ

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ભાવનગરમાં કોરોના કેસ ઘટી રહ્યા છે પરંતુ મોતની સંખ્યા વધી રહી છે. આજે કોરોના પોઝીટીવ પાંચ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે ૨૩૦ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે ૪૪૭ દર્દીઓ કોરોનામુક્ત થયા છે.

ભાવનગર શહેરમાં આજે કોરોનાએ કાળો કેર વરસાવ્યો હોય તેમ ચાર દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે આજે ૧૩૧ પુરૂષો અને ૭૨ મહિલા મળી ૨૦૩ દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જ્યારે શહેરમાંથી ૪૦૯ દર્દીઓ કોરોના મુક્ત થયા હતા.
જ્યારે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાંથી આજે એક કોરોના પોઝીટીવ દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે ૨૭ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૩૮ લોકો કોરોનામુક્ત થયા છે.
ભાવનગરમાં એક્ટીવ કેસની સંખ્યા ઘટીને ૧૯૨૯ થઈ ગઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક ૩૨૨ ઉપર પહોંચી ગયો છે.

(8:51 pm IST)