સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

જામનગર જી.જી. હોસ્પિટલમાં એમઆરઆઇ નવા મશીનના નામે લોકોને માત્ર આશ્વાસન

''કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના''ની રાજ્ય સરકારની નિતી : વિક્રમભાઇ માડમનો આક્રોશ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૮ : ખંભાળીયા-ભાણવડના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે જણાવ્યુ છે કે જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંગ સરકારી હોસ્પિટલ કે જે રાજ્યની બીજા નંબરની અને સૌરષ્ટ્રની પ્રથમ નંબરની હોસ્પિટલ કહેવાય છે. જ્યારે ૨૦૨૧માં કોરોનાની વેવ ચાલુ થઇ ત્યારે અસંખ્ય લોકોના મૃત્યુ થયેલ છે અને ઘણા લોકોની જીંદગી સારવારથી બચી ગયેલ છે અને આ સમય દરમ્યાન કોરોનાની સારવાર પછી કોરોનાના દર્દીમાં મ્યુકરમાઇકોસીસ નામનો રોગ ઘણો વધારે વકર્યો હતો.
 

 

(1:56 pm IST)