આઠ દિવસમાં જુનાગઢ જીલ્લાના ૯૩૩ લોકોએ કોરોનાને હરાવ્યો
ત્રીજી લહેર પાછી પડતા નવા કેસમાં ઘટાડો
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૯ : કોરાનાની ત્રીજા લહેરે પીછેહઠ કરવાનું શરૃ કરતા જુનાગઢ, જિલ્લામાં નવા કેસ ઘટવાની સાથે છેલ્લા આઠ દિવસમાં જિલ્લાના ૯૩૩ લોકોએ કોરાનાને હરાવ્યો છે.
ગત તા.ર૧ જાન્યુઆરીથી ગઇકાલ તા.ર૮ જાન્યુઆરી દરમ્યાન જુનાગઢ જિલ્લામાં કોરોનાના નવા કુલ કેસ ૭૯૧ નોંધાયા હતા અને કુલ ૯૩૩ લોકો સ્વસ્થ થયા હતા.
આ આઠ દિવસમાં રર જાન્યુઆરીએ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થતા આ દિવસ નવા ૧પ૬ કેસની એન્ટ્રી થઇ હતી.
ર૭ જાન્યુઆરીએ જિલ્લામાં સાત દિવસ નવા કેસ ઘટીને માત્ર પ૧ નોંધાયા હતા પરંતુ ગઇકાલે ઉછાળો આવતા ૮૪ કેસ આવ્યા હતા.
જિલ્લામાં આઠ દિવસમાં ૯૩૩ કોરોના દર્દીઓએ મહામારીને પરાજીત કરેલ છે જેના ત રપ જાન્યુઆરીએ એકજ દિવસમાં ૧૪૮ લોકોએ કોરોનાને હરાવ્યો હતો.
હજુ કોરોનાની ત્રીજી લહેર પુરી થઇ નહી આથી લોકોએ હજુ પણ સાવચેતી રાખવાની ખાસ જરૃર છે