સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

ભાવનગરમાં કોરોનાથી ત્રણના મોત : ૨૦૮ નવા કેસ નોંધાયા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૯ : ભાવનગરમાં કોરોનાની ત્રીજી લહેરમાં વધુ ત્રણ પોઝીટીવ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે આજે ૨૦૮ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે ૪૩૭ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર શહેરમાં કોરોના પોઝીટીવ બે દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે ૧૩૧ પુરૃષો અને ૫૪ મહિલાઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને ૪૦૨ દર્દીઓ કોરોનામુકત થયા છે.

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી એક કોરોના પોઝીટીવ દર્દીનું મોત નિપજ્યું છે જ્યારે ૨૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમજ ૩૫ દર્દીઓ કોરોનામુકત થયા છે. ભાવનગરમાં એકટીવ કેસ ૨૨૫૧  રહ્યા છે. જ્યારે  ત્રણ દર્દીઓના મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક ૩૧૭ થયો છે.

ભાવનગરમાં કોરોના થી મૃત્યુનો સિલસિલો યથાવત રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

(1:11 pm IST)