સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

માળિયા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે મહેશભાઈ સનારીયાની વરણી કરાઈ.

વિધાનસભા ચુંટણી ચાલુ વર્ષે યોજાનાર છે તે પૂર્વે દરેક રાજકીય પક્ષો પોતાના સંગઠનને મજબુત બનાવવા કવાયત હાથ ધરી છે જેમાં આમ આદમી પાર્ટી વિવિધ હોદેદારોની વરણી કરીને જવાબદારી સોપી રહી છે
જે કવાયત અંતર્ગત માળિયા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખની વરણી કરવામાં આવી છે રાસંગપર ગામના વતની મહેશભાઈ અવચરભાઈ સનારીયાની માળિયા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે વરણી કરાઈ છે.

(12:50 pm IST)