કામધેનુ ગૌશાળા આણંદપર ખાતે કાલે જીવદયા શ્રેષ્ઠીઓની મીટીંગ
રાજકોટ તા. ૨૮ : આણંદપર, કાલાવડ રોડ, હનુમાન ધારા આશ્રમ પાસે આવેલ કામધેનુ ગૌશાળામાં સાધ્વી રાધાનંદ ભારતીજી ગુરૂશ્રી અખંડ આનંદ ભારતી બાપુ (મોજ આશ્રમ ઉપલેટા) દ્વારા પંચગવ્ય ઉત્પાદનનું કાર્ય ચાલી રહ્યુ છે.
તા. ૩૦ ના આ સ્થળે પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, જાહેર જીવનના અગ્રણી મુરલીભાઇ દવે, વરિષ્ઠ અગ્રણી ભરતભાઇ મહેતા, શ્રીજી ગૌશાળાના રમેશભાઇ ઠકકર, એનીમલ હેલ્પલાઇનના ધીરૂભાઇ કાનાબાર, પ્રતિક સંઘાણી, મનસુખભાઇ જેસડીયા (સરપંચ આણંદપર), રાજેશભાઇ મારવીયા (સરપંચ નિકાવા)ની ઉપસ્થિતીમાં જીવદયા શ્રેષ્ઠીઓની મીટીંગ યોજવામાં આવેલ છે.
ગૌસેવા તરફ લોકો વળે તેવા આશયથી યોજાયેલ આ બેઠકમાં ઉપસ્થિત રહેવા અને વધુ માહીતી માટે મો.૯૮૨૫૦ ૨૩૧૯૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.