સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

ભાવનગર તન્ના ટ્રાવેલ્સના સંચાલક સિન્ધી અગ્રણીનું બાઇક સાથે બાઇક અથડાતા કરૃણ મોત

ભાવનગર,તા. ૨૯ઃ ભાવનગર શહેરનાં પરિમલ ચોક વિસ્તારમાં વાહન અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા જાણીતા ટ્રાવેલ્સ કંપનીનાં સંચાલક અને સિન્ધી સમાજનાં અગ્રણીનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું .ઙ્ગ

પૂરપાટ ઝડપે જઈ રહેલા બાઈક સવારે ધડાકાભેર સ્કુટર સાથે પોતાનું બાઈક અથડાવતાં સ્કુટર પર સવાર તન્ના ટ્રાવેલ્સનાં  લક્ષ્મણદાસ જમનાદાસ તન્ના ઉં.વ. ૫૭ નું ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત નીપજયું હતું .મૃતક લક્ષ્મણભાઈ ભાવનગરની અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા . લક્ષ્મણભાઈ ના અવસાનથી સિંધી સમાજમાં ગમગીની ફેલાઇ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે બાઈક ચાલક વિરુદ્ઘ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)