સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

આટકોટ પોલીસ સ્ટેશનના બળાત્કાર કેસમાં આરોપીની જામીન અરજી મંજૂર

રાજકોટ તા. ર૯ : .. આટકોટ પો. સ્ટે. માં નોંધાયેલ બળાત્કારના કેસમાં આરોપીનો જામીન પર છૂટકારો અદાલતે ફરમાવેલ હતો.

ગત તા. રર-૧૦-ર૧ ના રોજ આટકોટ પો. સ્ટે. માં નોંધાયેલ એફ. આઇ. આર. મુજબ જીતેન્દ્ર ઉર્ફે મુનો ઉર્ફે મનોજ ગીરધરભાઇ તોગડીયાએ પોતાની કૌટુંબિક ભત્રીજી પર દુષ્કર્મ કર્યુ હોવાથી આઇ. પી. સી. કલમ ૩૭૬ (ર), પ૦૬ (ર) મુજબ ગુનો નોંધાયેલ હતો, ગુજરાત હાઇકોર્ટએ ફરીયાદીએ ડોકટરને આપેલ હીસ્ટ્રી સ્ટેટમેન્ટની હકિકત ધ્યાને લઇ ફરીયાદીને  આરોપી સાથે ઘણા વખતથી સંબંધ હોવાનું માની પ્રાઇમા ફેસી કેસ નબળો હોવાનું તારણ કાઢી આરોપીને જામીન મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કામે આરોપી વતી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જીગર જે. પટેલ, વીનેશ કે. છાયા, સંદીપ એમ. ખેમાણી, ધ્રુવીન એ. છાયા તથા કપીલ સાકરીયા રોકાયેલ હતાં.

(11:47 am IST)