ધંધુકામાં યુવાનની હત્યા મુદ્દે ચોટીલા અને લીંબડીમાં આજે બંધનું એલાન
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૯ : ચુડા તાલુકાના ચચાણા ગામના કિશન ભરવાડની ધંધુકામાં વિધર્મીઓએ જેહાદી કૃત્ય કરી હત્યા કરી હતી. કિશન ભરવાડના હત્યારા સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવી ષડયંત્રમાં સામેલ દેશદ્રોહી ઈસમોને ફાંસીની સજા થાય તેવી માગ સાથે માલધારી સમાજે આજે સવારે ૯ વાગ્યા બાદ લીંબડી બંધ રાખવાનું એલાન આપ્યું છે.
ચોટીલાટ્ટ ધંધુકામા સરા જાહેર ફાયરીંગ કરીને યુવાનની હત્યા નિપજાવ્યાની દ્યટનાના ઠેર ઠેર દ્યેરા પડદ્યા પડ્યા છે.
આ બનાવને વખોડી કાઢવા અને વિરોધ જતાવવા આજે શનિવારના ચોટીલા બંધના એલાન કરાયુ છે. સાથે બાઇક રેલી, આવેદનપત્ર જેવા કાર્યક્રમો માલધારી સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા આપવાનું જાહેર કરાયુ છે.જેમા ચોટીલા માલધારી સમાજ ચોટીલા,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,ગૌ રક્ષા દળ,રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના, સુર્યસેના, રાયકાગૃપ, હ્યુમનરાઇટ્સ, માંધાતાગૃપ સહિતના સંગઠનોદ્વારા ટેકો જાહેર કરતા હત્યાના દ્યેરા પડદ્યા પડ્યા છે.