સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીને ગુલાબના ફુલોનો શ્રૃંગાર

 વાંકાનેરઃ શ્રી સ્‍વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધારશ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવાર નિમિતે પ.પૂ.શાષાી સવામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્‍વામીના માર્ગદર્શનથી શ્રી કષ્‍ટભંજનદેવ દાદાને ગુલાબના ફુલો વડે દિવ્‍ય શણગાર કરવામાં આવેલ તેમજ મંગળા આરતી પુજારી સ્‍વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્‍વામી દ્વારા કરવામાં આવેલ. મંદિરનાં પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ જેનો હજારો ભકતોએ આ દિવ્‍ય દર્શનનો ઓનલાઇન તથા રૂબરૂ લાભ લઇ ધન્‍યતાનો અનુભવ કર્યો હતો.

 

(10:50 am IST)