સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th January 2020

મોરબીમાં ટ્રેનની ઠોકરે અકસ્માતમાં ઘવાયેલ પટેલ યુવાન સારવાર દરમિયાન કરૂણમોત

ચાર દિવસની સારવાર કારગત નહીં નીવડતા પરિવારમાં શોકની લાગણી

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે યુવાન ટ્રેનની ઠોકરે ચડી જતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને પ્રાથમિક આપ્યા બાદ સારવાર આપ્યા બાદ રાજકોટ ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

બનાવની મળતી માહિતી મુજબ માળિયાના સરવડનો રહેવાસી વિપુલ મગનભાઈ શેરશીયા (ઉ.વ.૩૭) નામનો યુવાન મોરબીમાં સિરામિક ફેકટરીમાં નોકરી કરતો તે પોતાના મિત્રની કારમાંથી ઉતરી અને પગપાળા નટરાજ ફાટક ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રેનની ઠોકરે ચડી જતા યુવાન ગંભીર રીતે ઘાયલ થતા પેહલા મોરબી અને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો

  બનાવ અંગે રેલ્વે પોલીસના સુત્રોંમાંથી મળતી માહિતી મુજબ યુવાને માથે ટોપી પહેરી હોય જેથી ટ્રેનનો અવાજ સંભળાયો ના હોય તેવું લાગી રહ્યું હતું અને લગભગ ચાર દિવસ ની સારવાર કારગત ન નીવડતા તેનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે

 

(1:09 am IST)