સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

અંજારના રતનાલ ગામે ગૌશાળાના ગોદામમાં આગ

છ મહિના ચાલે તેટલો ૨૦ લાખના ઘાસના જથ્થાનો નાશઃ બાર કલાકે આગ કાબૂમાં આવી, ગાયો સુરક્ષિત

ભુજ,તા. ૨૮: અંજારના રતનાલ ગામે ગૌશાળાના ગોડાઉનમાં એકાએક લાગેલી આગે ગ્રામજનોમાં દોડધામ સાથે ચિંતા સર્જી હતી. દરમ્યાન આગના પગલે ગ્રામજનોએ સામૂહિક પ્રયાસો સાથે ચાર ફાયર ફાઇટરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે સતત ૧૨ કલાકની જહેમત પછી આગ કાબૂમાં આવી હતી. જોકે, ગોડાઉન દૂર હોઈ ગાયો સુરક્ષિત રહી હતી. પરંતુ આગના પગલે છ મહિના ચાલે તેટલો ૨૦ લાખ રૂપિયાનો દ્યાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગનું કારણ જાણવા મળ્યું નથી.

(11:34 am IST)