સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

પલીતાણામાં નદીમાં પડેલ 'ગાય'ને બચાવવા ગયેલ મુસ્લિમ યુવાન પણ ડુબી ગયો : બંનેના મોત

ભાવનગર,તા. ર૮ : પાલીતાણામાં ખારા નદીમાં ગાયને બચાવવા ગયેલા યુવાનનું ગાય અને બન્નેનું મોત નિપજયું છે.

વિગતો મુજબ પાલીતાણામાં ગારીયાધાર રોડ પરની ખારા નદીમાં પડેલ ગાયને બચાવવા ફિરોઝ રહીમભાઇ પઠાણ નામનો યુવાન પાણીમાં કુદતા તેનું પણ પાણીમાં ડુબી જતાં મોત નિપજયું હતું. બનાવની જાણ થતાં પાલીતાણા ફાયર બ્રિગ્રેડના સ્ટાફે બનાવ સ્થળે દોડી જઇ પાણીમાંથી યુવાન અને ગાયના મૃતદેહને બહાર કાઢયા હતા. આ બનાવથી શોકની લાગણી ફેલાઇ હતી.

(11:32 am IST)