લોધીકાના માખાવડ ગામે મનકી બાત કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિ
ખીરસરા : રાજકોટ જીલ્લાના લોધિકાના માખાવડ ખાતે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 'મન કી બાત' કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજય ના શિક્ષણ મંત્રી રાજકોટ જિલ્લાના ચુંટણી પ્રભારી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાની હાજરીમા ભાજપના સૌ કાર્યકરો તેમજ ગ્રામ્યજનોની હાજરીમાં 'મન કી બાત' કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો. તેમજ આવનાર ચુંટણીને અનુલક્ષી જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોની સીટની સમિક્ષા કરેલ,આ કાર્યક્રમ દરમિયાન,જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ મનસુખભાઈ રામાણી ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી,તથા લોધીકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશિયા તથા મોહનભાઈ ખુંટ, લોધીકા તાલુકા ભાજપ સંગઠનના ઈન્ચાર્જ તરસીભાઈ તારપરા, રા. લો સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ જિલ્લા બેંકના ડિરેકટર વિરભદ્રસિહ જાડેજા, લોધીકા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરૂદ્ઘસિંહ ડાભી, મુકેશભાઈ તોગડિયા, હરિશચંદ્રસિંહ જાડેજા, ડો. પ્રકાશ વિરડા વિસ્તારના લોકો તેમજતાલુકા ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર - અહેવાલ : ભીખુપરી ગોસાઇ, ખીરસરા)