હળવદના કેદારીયા ગામે ટોળા ઉપર કન્ટેનર ફરી વળ્યું : ૧૭ ઘેટાના મોત
(દીપક જાની દ્વારા ) હળવદ,તા. ૨૮: તાલુકાના કેદારીયા ગામ નજીક અમદાવાદ-કચ્છ હાઇવે પર કન્ટેનર ચાલકે ૨૦ જેટલા ઘેંટા પર ફેરવી દેતા ૧૭ ઘેંટાના મોત નિપજયા છે જયારે ત્રણ ઘેંટા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ બે જવાબદારીપૂર્વક કન્ટેનર ચલાવનાર ચાલકને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિગતો મુજબ કેદારીયા ગામે રહેતા મશરૂભાઈ માંડણભાઈ ભરવાડ અને દેવાભાઈ રુખડભાઈ પોતાના ઘેંટાઓને લઈ ચારવા માટે જઈ રહ્યા હતા ત્યારે કન્ટેનર ચાલકે ઘેંટાઓને અડફેટે લીધા હતા.
બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ કન્ટેનર ચાલકની અટકાયત કરી પોલીસ મથકે લઈ આવી છે સાથે જ પશુપાલકો દ્વારા પોતાની આજીવિકા જેના પર નિર્ભર હતી તે ઘેંટાઓના મોત નિપજતા રાજય સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.