જામજોધપુરના ઝાલાવાડી ગામે એકી સાથે ચાર મૃતકોની અર્થી ઉઠતા ગ્રામજનો હિબકે ચડયા
ચારેય યુવાનો પરિણીત હતા ચારેય યુવાનોના પત્નિ તથા બાળકો નોધારા બન્યાઃ સમસ્ત ગામ સહિત સગર સમાજ શોકમાં ડૂબ્યો
જામજોધપુર તા. ર૮ :.. ગઇકાલે ધ્રોલ નજીક જામનગર-રાજકોટ હાઇવે ધોરી માર્ગ પર ધ્રાંગધ્રા ગામના પાટીયા પાસે ગઇકાલે વહેલી સવારે જામજોધપુરના ઝાલાવાડી ગામના યુવાનોના ભાઇ અને ત્રણ મિત્રો વધુ સારવાર માટે કારમાં રાજકોટ લઇ જતા હતાં. એ દરમ્યાન ડ્રાઇવરે કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકતા સ્થળ પર ચાર વ્યકિતના મૃત્યુ થયા હતાં.
જેમાં કાર ચાલક હરેશ અરજણ, વિમાર રસીકભાઇ કદાવવા, નારણ ચૌહાણ અને ટપુભાઇ કારેલણા ના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
આ અકસ્માત થતા જ ૪ દંપતી ખંડીત થયા હતાં. ચારેય યુવાનો પરિણીત હતાં. મૃતક યુવાન પૈકી હરેશભાઇ ને ર પુત્રી રસીકભાઇને ૩ પુત્રી અને ૧ પુત્ર નારણભાઇને ર પુત્રી અને ૧ પુત્ર અને ટપુભઇને ૧ પુત્ર અને ૧ પુત્રી હોય ૧૧ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
અકસ્માતનો ભોગ બનનાર ચારેય યુવાનો લાલપુર તાલુકાના ગોલાણા ગામના જમાઇ છે. પરિવારના આધાર સ્તંભ ગણાતા યુવાનોના મૃત્યુથી પરિવારજનોના આક્રંદ હૈયા ફાટ રૂદ્રનથી વાતાવરણ ગમગીન બની ગયુ હતું. એકી સાથે ચાર ચાર યુવાનોની સ્મશાન યાત્રા નીકળતા વાતાવરણમાં ગમગીની છવાઇ હતી તેમજ આ સ્મશાન યાત્રામાં ધારાસભ્ય ચિરાગભઇ કાલરીયા, સગર સમાજ જામજોધપુરના પ્રમુખ મોહનભાઇ નકુમ મોટાગોપના પુર્વ સદસ્ય હસમુખભાઇ શીર જામજોધપુરના અરવિંદભઇ સોલંકી, મોટાગોપના ભરતભાઇ ભીમશીભાઇ પાથર, નણાવાટાના પ્રવિણ કારેણા, દિનેશભાઇ નાથાભાઇ, કરશનભાઇ પાથર, (મોટાગોપ) જીલ્લા પંચાયતના સદસ્ય હેમતભાઇ આહીર સમાજના યુવા અગ્રણી મશરીભાઇ કંડોરીયા, સહિત વિવિધ ગામના સગર સમાજના આગેવાનો તેમજ મોટાગોપના તલાટી બી. ડી. મહેતા વગેરે જોડાયા હતાં.