ધોરાજીમાં અગાસી પર કપડા સુકવતી વખતે વિજ તારને માથુ અડી જતાં કરંટથી રમાબેન પટેલનું મોત
ધોરાજી, જુનાગઢ બાદ રાજકોટ ખસેડાયા'તાઃ સાંજે મોત નિપજતાં પરિવારમાં શોક
રાજકોટ તા. ૧૬: ધોરાજીમાં અગાસી પર કપડા સુકવી રહેલાં લેઉવા પટેલ મહિલાનું માથુ વિજ તારને અડી જતાં કરંટ લાગતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. ધોરાજી જમનાવડ રોડ પર અપૂર્વ સ્કૂલ પાછળ રહેતાં રમાબેન જમનભાઇ વૈષ્ણવ (ઉ.૫૮) નામના લેઉવા પટેલ મહિલા તા. ૪ના રોજ પોતાની ઉપલેટા રોડ પર આવેલી વાડીના મકાનની અગાસીએ કપડા સુકવવા ગયા ત્યારે વિજ તારને માથુ અડી જતાં કરંટ લાગતાં દાઝી જતાં ધોરાજી, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત સાંજે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ કાગળો કરી ધોરાજી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રમાબેનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. (૧૪.૭)