News of Monday, 23rd April 2018
વડીયામાં ૩૬૫ બાળકોએ આપી નવોદય વિદ્યાલયની પરીક્ષા
વડીયા : અહિંયા રંગવાળા સાર્વજનિક હાઈસ્કુલે કેન્દ્ર મળતા ત્યાં ૧૯ બ્લોકમાં વડીયા, કુંકાવાવ તાલુકાના નાના ૩૬૫ બાળકોની જવાહર નવોદયની પરીક્ષા લેવામાં આવેલ. પી.એસ.આઈ. શ્રી ધામા, મામલતદાર શ્રી ચુડાસમા અને પીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા. પરીક્ષા ફકત નાના બાળકોની હોય જેથી સ્કુલના પ્રિન્સીપાલે તમામ બાળકોને વિસ્તૃત રીતે સમજાવી પરીક્ષાનો પ્રારંભ કરાવ્યો હતો.(તસ્વીરઃ જીતેશગીરી ગોસાઈ, વડીયા)(૩૭.૨)
(12:20 pm IST)