સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

જામનગર કોંગ્રેસ કાર્યાલયે અહેમદભાઇ પટેલને શ્રધ્ધાંજલી અર્પણ

જામનગર : કોંગ્રેસ પાર્ટી ના ખજાનચી ગુજરાતનાં પનોતાં પુત્ર, કોંગ્રેસ પાર્ટી ના આધારસ્તંભ, રાજયસભા સાંસદ શ્રી અહેમદ પટેલને અશ્રુભીની પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખેલ અને અહેમદ પટેલની દિવ્ય આત્માને શાંતિ તેમજ સદગતિ આર્પે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરેલ. જેમાં મોટી સંખ્યા માં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(10:26 am IST)