સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 11 કેસ, ગ્રામ્યમાં 2 કેસ,કેશોદમાં 3 કેસ, માળિયામાં 2 કેસ, ભેસાણ, માંગરોળ, વંથલી અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 18 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 11 કેસ, ગ્રામ્યમાં 2 કેસ,કેશોદમાં 3 કેસ, માળિયામાં 2 કેસ, ભેસાણ, માંગરોળ, વંથલી અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(7:30 pm IST)