News of Wednesday, 28th October 2020
અમરેલી જીલ્લામાં કોરોનાના બેડ ખાલી થઇ રહયા છેઃ મૃત્યુનુ પ્રમાણ ઘટયું
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૨૮: અમરેલી જીલ્લામાં મંગળવારે કોરોનાના ૧પ કેસ નોંધાયા હતા અને તે સાથે કુલ કેસની સંખ્યા ર૬૩૭એ પહોંચી ગઇ છે.
તો બીજી તરફ રાહતના સમાચાર એ છે કે અમરેલીની કોવીડ હોસ્પીટલમાં કોરોનાના બેડ ખાલી થઇ રહયા છે.
માત્ર ૧૪૭ દર્દીઓ જ સારવારમાં રહયા છે જો કે કોરોના હળવો પડયો પણ જતો તો નથી જ. મંગળવારે ર૦ દર્દીઓ સાજા થઇ ગયા હતા અને સૌથી વધુ રાહતની બાબત એ છે કે કોરોનાના દર્દીઓના મૃત્યુનું પ્રમાણ ઘટી ગયું છે.
(12:53 pm IST)