સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

કોરોનાના જરૂરિયાતમંદ દર્દીને ભાવનગરમાં રેડમીસીવિર ઇન્જેકશન મફત

ભાવનગર તા.૨૮: ઈન્ડીયન રેડકોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા માનવવાદી અને આરોગ્યલક્ષી અને કવિધ સેવા કોરોના મહામારી ના સમયમાં કરવામાં આવી રહી છે જે પૈકી મોટાભાગની સેવાઓ વિનામુલ્યે આપવામાં આવે છે જેના ભાગરૂપે કોરોના દર્દીઓ ની સારવાર માં ઉપયોગી રેડમીસીવિર ઇન્જેકશન જે સામાન્ય અને ગરીબ દર્દી ની પહોચ માં ખર્ચ કરી શકે તેમ ન હોય તેવા દર્દીઓ માટે દાતા પરિવાર શ્રી ઉત્ત્।મભાઈ નંદલાલ ભૂતા શ્રેય સ્કીમ અને શ્રી ડી.કે.પટેલ ( અમદાવાદ ) પરિવાર ના અનુદાન થી આ ઇન્જેકશન દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવનાર છે. જરૂરી આધાર પુરાવા , ડોકટરના પ્રિસ્ક્રિપ્શન ના આધારે નિયમ પ્રમાણે ની યોગ્યતાને ખરાઇ કરીને આ ઇંજેકશન રેડમીસીવિર તદ્દન વિનામૂલ્યે દર્દીઓ ને આપવાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને મદદ મળી રહેશે આ સેવાઓ મેળવવા માટે રેડક્રોસ કાર્યાલય, રેડક્રોસ ભવન , દિવાનપરા રોડ, બાટન લાઇબ્રેરી સામે ભાવનગર ખાતે સંપર્ક કરવા રેડક્રોસ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.(

(11:31 am IST)