કાલાવડમાં ઉકાળા વિતરણ
કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા અકસીર ગણાતા ઉકાળાનું આયુષ કચેરી ગાંધીનગર, વિભાગીય નાયબ નિયામકશ્રી રાજકોટ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જામનગરના માર્ગદર્શન હેઠળ એક સપ્તાહ સુધી વિતરણ કરાયુ હતુ. જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી જામનગર ડો. એસ. એન. મોઢા, પ્રાંત અધિકારી શ્રી કાલાવડ, તાલુકા વિકાસ અધિકારી શ્રી કાલાવડ, મામલતદારશ્રી કાલાવડ, ચીફ ઓફીસર શ્રી કાલાવડ, તાલુકા હેલ્થ ઓફીસર કાલાવડના સહયોગથી સરકારી આયુર્વેદ દવાખાનુ નાના વડાળાના મેડીકલ ઓફીસર ડો. દર્શનાબા એમ. જાડેજા દ્વારા ચલાવવામાં આવેલ આ ઉકાળા અભિયાન અંતર્ગત ગામડે ગામડે ટીમ બનાવી ઉકળાનું વિતરણ કરાયુ હતુ. જેનો પાંચ દિવસમાં ૭૬,૦૪૭ લોકોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગામના તલાટી મંત્રી, આરોગ્ય વર્કર, આશા વર્કર, આંગણવાડી વર્કર વગેરેએ જહેમત ઉઠાવી હતી.