જામકંડોરણાના રોધેલ ગામે માં આશાપુરાના મઢે અનુષ્ઠાન
ધોરાજીઃ જામકંડોરણાના રોદ્યેલ ગામે માં આશાપુરા માતાજીના મઢ ખાતે આ વર્ષે પણ નવરાત્રી અનુષ્ઠાન વિધિ સંપન્ન થઇ હતી. મા આશાપુરા મઢ ના ભુવા પ્રવિણસિંહ નાથુભા જાડેજા ના સાનિધ્યમાં નવરાત્રી અનુષ્ઠાન દસ દિવસ સુધી યોજાયેલ બાદ અનુષ્ઠાનના છેલ્લા દિવસે માતાજીનો હવન મહાયજ્ઞ વૈદિક પરંપરા મુજબ માતાજીનો માંડવો યોજાયો હતો આ પ્રસંગે અનિરુદ્ઘ સિંહ જાડેજા રાજભા જાડેજા વિગેરે ની હાજરીમાં મા આશાપુરા માતાજીના સાનિધ્યમાં નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ પ્રસંગે જુનાગઢ ખાતેથી સંગીતકાર ગાયક રાજુભાઈ ભટ્ટ અને તેની ટિમ તુષાર બગથરીયા નીરૂબેન દવે વિગેરે કલાકારો ટીમ દ્વારા માતાજીના ગરબા નો કાર્યક્રમ યોજાયો હતો તેમજ માતાજીના દુહા છંદ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું