News of Wednesday, 28th October 2020
સદ્દભાવના વૃધ્ધાશ્રમનું સદ્દકાર્ય : ચોરવીરાજી ગામના શહીદ રઘુભાઇના પરિવારને ધનરાશી આપી કરાશે ઋણ સ્વીકાર
રાજકોટ : હાલમાં જ ચોરવીરાજી ગામના નવ લોહીયા યુવાન રઘુભાઇ બોળીયા આર્મી ફરજ દરમિયાન લેખથી ૩૫૦ કિ.મી. દુર બોર્ડર પર વીરગતિ પામતા સદ્દભાવના વૃધ્ધાશ્રમ રાજકોટ દ્વારા તેમના માદરે વતન ઘરની મુલકાત લઇ શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. વીર શહીદ સ્વ. રઘુભાઇની પ્રથમ માસિક પૂણ્યતીથીએ રૂ.૧૦ લાખ ઋણસ્વીકાર નીધિ આપવા નિર્ણય જાહેર કરાયો હોવાનું સદ્દભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઇ ડોબરીયા (મો.૮૦૦૦૨ ૮૮૮૮૮), મનોજ કલ્યાણી (મો.૯૯૯૮૨ ૦૭૦૭૦), ધીરૂભાઇ કાનાબાર (મો.૯૮૨૫૦ ૭૭૩૦૬), રાજેશભાઇ રૂપાપરા, સુધીરભાઇ શાહની સંયુકત યાદીમાં જણાવાયુ છે.
(11:25 am IST)