જૂનાગઢમાં વિપુલભાઇ કોટેચાના ધ ફન લિયો રિસોર્ટ એન્ડ કલબનું વિજયભાઇ રૂપાણીનાં હસ્તે લોકાર્પણ
જૂનાગઢ : ભવનાથ તળેટી ખાતે વિપુલભાઇ કોટેચાના ફન લિયો રિસોર્ટ એન્ડ કલબનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ કે ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે હરણફાઇ ભરી રહ્યું છે. ગુજરાત પ્રવાસન ક્ષેત્રે વિશ્વના નકશામાં અંકિત થાય એ માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. જૂનાગઢ પ્રવાસનધામ બની ગયું છે. ગિરનાર રોપ-વે તૈયાર થતાં જૂનાગઢમાં દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓ માટે સારી હોટલોની આવશ્યકતા રહેશે. આ તકે વિજયભાઇએ ગિરનાર તળેટીમાં વિશાળ જગ્યામાં નિર્માણ કરેલ. રિસોર્ટ માટે આ રિસોર્ટના માલિક યુવા બિલ્ડર્સ વિપુલભાઇ કોટેચા પરિવારને શુભકામનાઓ પાઠવી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ધીરૂભાઇ ગોહેલ, શ્રીમતી અંજલિબેન રૂપાણી વિપુલ કોટેચાના મોટાભાઇ પૂર્વ ડે.મેયર ગિરીશભાઇ કોટેચા તેમજ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પાર્થ કોટેચાએ સ્વાગત કર્યું હતું. અને ભાગ્યશ્રી કોટેચાએ મુ.મંત્રીશ્રીને તેમનું રેખાચિત્ર આપી સ્વાગત કર્યું હતું. વિપુલભાઇ કોટેચાને રિસોર્ટનું નિર્માણ કરવા બદલ તેમના શુભેચ્છકો મો.નં. ૯૯૨૪૯ ૨૯૭૬૭ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે. (અહેવાલ : વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)