સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

ગોંડલના ગુંદાળા રોડ પર બે બાઈક સામસામે અથડાતા દાદા-પૌત્રના કરૂણમોત

ગરનાળા ગામે આવેલ વાડીએ બિયારણ અને જંતુનાશક દવાઓ લઇ જતા હતા ત્યારે સંતરામ પેટ્રોલિયમ પાસે બાઈક ધડાકાભેર અથડાયું

 

ગોંડલ : ગોંડલ ખાતે બે બાઈક સામ સામે અથડાતા પાટીદાર યુવાન અને તેના દાદાનું મોત થયું હતું. જો કે, બે લોકોને સામાન્ય ઈજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. દાદા-પોત્રના મોતને લઈ પરિવારજનોમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગોંડલમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા પટેલ પ્રવિણભાઇ હંસરાજભાઈ વિરપરીયાના પિતા હંસરાજભાઈ .80 તથા પુત્ર હિતેન .35 સવારે આઠના સુમારે બાઇક મારફ્ત ગરનાળા ગામે આવેલ પોતાની વાડીએ બિયારણ અને જંતુનાશક દવાઓ લઇ જઇ રહયા હતા. તે વેળાએ ગુંદાળા રોડ પર સંતરામ પેટ્રોલિયમ પાસે સામેથી ઘસી આવેલા અન્ય બાઇક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માત સર્જાયો હતો. અક્સ્માતમાં બે લોકોને ઈજાઓ થઈ હતી અને દાદા હંસરાજભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

જો કે, અન્યને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જયા હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને લઈ પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(12:38 am IST)