સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th September 2020

કોરોના સામે જંગ હારી ગયેલ હળવદના શિક્ષિકાના પરિવારની મદદે પ્રાથમિક શાળાના શિક્ષકો

(દીપક જાની દ્વારા) હળવદ : તાલુકાના શિક્ષિકા ગત ઓગષ્ટ માસની ૩૧ મી તારીખે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ હારી જતા અવસાન પામેલ હતા. જયારે નિષ્ઠાવાન સરકારી કર્મી એવા શિક્ષિકા ના પરિવારજનોની મદદે હળવદ તાલુકાના પે.સે. શાળા સહિત પ્રાથમિક શાળાના શિક્ષકો વહારે આવ્યા છે. તાલુકાના રાણેકપર રોડ પર આવેલ સાનિધ્ય બંગ્લોઝ ખાતે રહેતા શિક્ષિકા ચેતનાબેન રામપ્રસાદ રામાનંદી સગર્ભા હોય અને કોરોના પોઝીટીવ આવતા અમદાવાદની સંજીવની હોસ્પિટલમાં સારવાર કરાયા બાદ વધુ વધુ સારવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લીધી હતી અને પરંતુ એમના પરિવારજનોની આસા બંધાયેલી રહી જ ગઈ. અને કોરોના વોરિયર્સ શિક્ષિકા અમદાવાદની સિવિલમાં આખરે જંગ હારી ગયા અને અંતિમ શ્વાસ લીધા. નાના ૮ વર્ષના બાળકને માતૃત્વ પ્રેમ ગુમાવવાનો વસવશો થયો છે અને તેમના પતિ કપીલભાઈ સાધુ સાથે પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. હળવદ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ કોરોના વોરિયર્સ ચેતનાબેનના પરિવારજનોની આર્થિક મદદે આવ્યા છે. અને સમગ્ર તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત પે.સે. શાળાના શિક્ષકોએ ૩,૯૭,પ૦૦ જેટલી રકમનો ફાળો એકત્ર કરી પરિવારજનોની મદદે આવ્યું છે તો સાથે જ તાલુકાની ૧ર પે.સે. શાળાના શિક્ષકોએ ૧ લાખ ર૬ હજારની રકમ એફ.ડી.કરાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ર૦૦૭થી ર૦ર૦ સુધીની શિક્ષિકાની ફરજમાં ચેતનાબેન કેટલાક શિક્ષકોના આદર્શ અને પ્રેરણારૂપ બની રહ્યા. તેમજ તેઓ છેલ્લા સાત વર્ષથી સતત ટીકરની શાળા નં.૩માં ફરજ બજાવી લોકચાહના મેળવી હતી

(11:40 am IST)