સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th September 2020

'ઉઘાડું સત્ય' ચિત્ર દ્વારા સંવેદના રજુ કરતાં ગોંડલનાં ચિત્રકાર

 (જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ  : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થી લઇ લોકગાયક કિર્તીદાન સુધી ની હસ્તીઓને પોતાની પીંછી દ્વારા કેનવાસ ઉપર જીવંત બનાવનારાં ગોંડલનાં ચિત્રકાર હેમંત ચૌહાણ દ્વારા ઉઘાડું સત્ય નામે જેમાં મનુષ્યના જન્મ થી લઇ આધુનિક યુગ સુધી તેમજ સ્ત્રીની સહનશીલતા અને વેદનાંને જીવંત ઉજાગર કરતાં ચિત્રને કેનવાસ ઉપર ચરિતાર્થ કરાયું છે. જેને ચિત્રકાર દ્વારા આખરી ઓપ અપાઇ રહ્યો છે.વીસ બાય ત્રીસનાં આ પેઇન્ટીંગ માટે હેમંત ચૌહાણ છેલ્લા ચાર માસ થી મહેનત કરી રહયાં છે.વ્યકિતગત જિંદગીમાં સંઘર્ષ કરી રહેલા અને લોકડાઉન સમય થી બેકારી સામે ઝઝૂમી રહેલાં હેમંત ચૌહાણે ચિત્ર દ્વારા પોતાનાં જેવાં અનેક લોકોની વેદનાને માધ્યમ બનાવવાં પ્રયત્ન કર્યો છે. હેમંત ચૌહાણની કલા અનેક શહેરોમાં અને સ્કુલ કોલેજો માં પ્રદર્શન પામી ચુકી છે. અનેક પારિતોષિકો થી પણ સન્માનિત કરાયાં છે.

(11:32 am IST)