News of Saturday, 28th September 2019
પીપાવાવ પોર્ટ તથા જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ : દરિયામાં કરંટ : અમરેલીની 700 બોટ કિનારે લાંગરી દેવાઈ
આગામી બે ત્રણ દિવસમાં દરિયા કાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
અમરેલી: અમરેલીના પીપાવાવ પોર્ટ તથા જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદના દરિયામાં કરંટના પગલે અમરેલીની 700 બોટો જાફરાબાદ બંદર પર લાંગરી દેવામાં આવી છે
. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે ત્રણ દિવસમાં દરિયા કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીના પગલે બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે.
(12:37 am IST)