સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th September 2019

વડિયાની બજારમાં નવા બનેલ બ્લોક રોડનો આનંદ સ્વામીના હસ્તે પ્રારંભ

વડિયા,તા.૨૮:વડિયા કૃષ્ણ પરા વિસ્તારમાં આવેલ મેઈલ, શિવાજી ચોક થી પોસ્ટ ઓફિસ સુધીનો રોડ પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉધાડ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો વડિયા શહેરમાં છેલ્લા ધણા સમયથી બ્લોક રોડનુ કામ ચાલી રહ્યું હતું ત્યારે ગઇ કાલે તમામ રોડ બની જતા આજે આ તમામ રોડ ખુલ્લા મુકાયા જેમાં વડિયા સ્વામી નારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી આનંદ સ્વામી દ્વારા વિધિવત પુજા અર્ચના કરી પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉધાડ દ્વારા રીબીન કાપી આ રોડને ખુલ્લા મુકાયાં હતા

આ તકે વડિયાના ઉપ સરપંચ છગનભાઈ ઢોલરીયા, પૂર્વ સરપંચ વિપુલભાઈ રાક, તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ ગણાત્રા, શૈલેષભાઈ ઠુંમર, મહંમદભાઇ સુમરા, અશ્વિનભાઇ મહેતા, ચેમ્બર ઓફ કોમર્સ ના મિહીરભાઈ સુમરા સહીતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉધાડે જણાવ્યું હતું કે આવતા બે ત્રણ વર્ષ સુધીમા તમામ રોડ ગુજરાત સરકાર દ્વારા નવા બનાવવામાં આવશે.

(11:34 am IST)