જુનાગઢ સ્વામીનારાયણ મુખ્યમંદિરે નિજ મંદિરમાં ભગવાનનું પુજન અર્ચન કરતા સંતો
જુનાગઢ જવાહર રોડ સ્થિતશ્રી સ્વામીનારાયણ મુખ્યમંદિર ખાતે નિજ મંદિરમાં બિરાજતા ભગવાન શ્રી રાધારમણ દેવ સિધ્ધેશ્વર મહાદેવ સ્વામીનારાયણ ભગવાન સહીતનાનું ચેરમેન દેવનંદનદાસજી અને કોઠારી શાસ્વામી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) અને પી.પી.સ્વામી ટ્રસ્ટી બ્રહ્મચારી સરજુદાસાનંદજી ચંદ્રપ્રકાશદાસજી પુજારી ધર્મકિશોરદાસજી પુરાણી સ્વામી માધવજીવનદાસજી સ્વામી પુરૂષોતમપ્રિયદાસજી વગેરેએ સવારે દેવોનું પુજન અર્ચન કરેલ અને સાંજે ૬ થી ૭ કલાકેે પુ. ગુણાતીતાનંદસ્વામી પુ.ગોપાલનંદસ્વામી, પુ. બ્રહ્માનંદસ્વામીનું સંતો દ્વારા પુજન કરાયુ હતુ. તેમજ વડતાલથી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા હરિભકતોને ટેલીફોનીક આર્શિવાદ પાઠવ્યા હતા અને સંતોએ પણ શુભકામના પાઠવી હતી અને ગુરૂપુર્ણિમાં પર્વની સરકારશ્રીની ગાઇડલાઇનના ચુસ્ત પણે અમલવારી કરી ઉજવણી કરાઇ હતી. (અહેવાલ : વિનુ જોષી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)